Monday 7 January 2013

Shankracharya's Four Maths



શૃંગેરી મઠ

શૃંગેરી જ્ઞાનમઠ ભારતના દક્ષિણમાં રામેશ્વરમાં સ્થિત છે. આદિ શંકારાચાર્ય દક્ષિણ ભારતના જ હતા. શૃંગેરી મઠ અંતર્ગત દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી સરસ્વતી, ભારતી તથા પુરી સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય 'अहं ब्रह्मास्मि' છે, તથા મઠની અંદર 'यजुर्वेद'ને રાખવામાં આવે છે.  આ મઠના પ્રથમ મઠાધીશ આચાર્ય સુરેશ્વરજી હતા, જેનું પહેલા મંડન મિશ્ર નામ હતું. આ ઈન્દોરની પાસે નર્મદા તટ પર સ્થિત મહેશ્વર, પ્રાચીન નામ મહિષ્મતિ નગર હતું. તે બ્રહ્માનો અવતાર માનવામાં આવે છે.
  
ગોવર્ધન મઠ

ગોવર્ધન મઠ ભારતના પૂર્વી ભાગમાં ઓરિસ્સાના પુરી નગરમાં સ્થિત  છે. ભગવાન જગન્નાથના આ દિવ્યસ્થાન પર આદિ શંકરાચાર્યે વરસોથી જમીનમાં રહેલા ભગવાન જગન્નાથને શોધ્યા. ગોવર્ધન મઠની અંદર દીક્ષાપ્રાપ્ત કરનાર સંન્યાસીઓના માન પછી  'आरण्य' સંપ્રદાયના નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય છે 'प्रज्ञानं ब्रह्म' તથા આ મઠની અંદર 'ऋग्वेद'ને રાખવામાં આવે છે. આ મઠના પ્રથમ મઠાધીશ આદ્ય શંકરાચાર્યના પ્રથમ શિષ્ય પદ્મપાદ થયા.



શારદા મઠ

શારદા (કાલિકા) મઠ ગુજરાતમાં દ્વારકાધામમાં સ્થિત છે. શારદા મઠની અંદર દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી 'तीर्थ' અને 'आश्रम' સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તે ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી તરીકે ઓળખાય છે. આ મઠનું મહાવાક્ય છે 'तत्त्वमसि' તથા તેની અંદર 'सामवेद'ને રાખવામાં આવે છે. શારદા મઠના પ્રથમ મઠાધીશ હસ્તામલક (પૃથ્વીધર) હતા. હસ્તામલક શંકરાચાર્યજીના પ્રમુખ ચાર શિષ્યોમાંથી એક હતા. આ ગુજરાતના સાધુ સમાજનું એક કેન્દ્ર જેવું નિયમન કેન્દ્ર છે.

જ્યોતિર્મઠ

ઉત્તરાંચલના બદ્રિકાશ્રમમાં સ્થિત છે જ્યોતિર્મઠ. જ્યોતિર્મઠની અંદર દીક્ષા પ્રાપ્ત કરનાર સંન્યાસીઓના નામ પછી 'गिरि', 'पर्वत' તથા सागरસંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે, જેનાથી તેને ઉપરોક્ત સંપ્રદાયના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠનું મહાવાક્ય 'अयमात्मा ब्रह्म' છે. આ મઠની અંદર અથર્વવેદને રાખવામાં આવેલ છે. જ્યોતિરમઠના પ્રથમ મઠાધીશ આચાર્ય તોટક બનાવવામાં આવ્યા હતા.


(From : Divya Bhaskar)

Swami Ramtirth - Dharma - three categories.

સ્વામી રામતીર્થ  જગતના પંથોના ત્રણ વિભાગ પાડી શકાય . ૧ .    તસ્યૈવાહમ : હું તેનો છું . ૨ .    તવૈવાહમ : હું તારો છું . 3. ...